• રવિવાર, 01 જૂન, 2025

છસરામાં વધતા ચોરી, તાળાં તૂટવાના બનાવ : વૃદ્ધજનોને અસુરક્ષાની લાગણી

મુંદરા, તા.  22 : તાલુકાનાં છસરા ગામમાં હાલમાં છેલ્લા થોડા સમયથી તાળાં તૂટવાનીએટલું જ નહીં ઘરમાં  તોડફોડ સહિતની ઘટનાઓ બનતાં ચિંતાની લાગણી ઊઠી છે. ગામના વરિષ્ઠ નાગરિકોએ લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, થોડા સમયમાં ઉપરાઉપરી તાળાં તૂટવાની અને ઘરમાં તોડફોડની ચારેક ઘટના બની છે. અહીં ઘણા સિનિયર સિટીઝનો રહે છે, જેમના સંતાનો મુંબઈ અને બહાર ધંધાર્થે વસે છે. એ લોકો અસુરક્ષિતતાની સ્થિતિ અનુભવે છે. તેમણે ઉમેર્યું કે, તાળાં તૂટવાની બે ઘટના બાદ એક ઘરમાં તોડફોડની ઘટના બની. એટલું જ નહીં, ગઈકાલે સ્થાનકની બાજુમાં ઘરમાં પણ તોડફોડ થઈ હતી. આ સંબંધે પોલીસ તંત્ર તેમજ સ્થાનિક મહાજનો, સંસ્થાઓ, ગામના અગ્રણીઓ વગેરે સબળ સુરક્ષા વ્યવસ્થા અને જરૂરી નક્કર પગલાં લે એવી માગણી છે. નહીં તો, આ ચોરીચપાટી, લૂંટ સાથે ઇજા કે કોઈ ગંભીર ઘટનાની પણ દહેશત  ઊઠી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd