ગાંધીધામ, તા. 24 : ગાંધીનગર ખાતે ચીફ એન્જિનીયર
અને અધિક સચિવ તરીકે ફરજ બજાવતા મૂળ આદિપુરના કચ્છની અધિકારીને સચિવનું પ્રમોશન આપીને
નર્મદા નિગમમાં ડાયરેક્ટર તરીકે નિમણૂક કરાતાં ગાંધીધામ સંકુલમાં આનંદની લાગણી પ્રસરી
છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા ઓર્ડરમાં
પંચાયત પ્લાનિંગ અને મોનિટરિંગ વિભાગના ચીફ એન્જિનીયર અને પાણી પુરવઠાના અધિક
સચિવ એચ.યુ. કલ્યાણીને સરદાર સરોવર નિગમમાં ડાયરેક્ટર સિવિલ તરીકે નિમણૂક
આપવામાં આવી છે. શ્રી કલ્યાણી ડિસેમ્બર 1997માં સીધી ભરતી દ્વારા નર્મદા પ્રભાગમાં ગાંધીધામ ખાતે નિમણૂક પામ્યા
હતા અને ચાર વર્ષ સુધી ગાંધીધામમાં ફરજ બજાવ્યા
બાદ કાર્યપાલક ઈજનેર અને અધીક્ષક ઈજનેર તરીકે
સિંચાઈ વિભાગમાં સેવા આપી હતી અને મુખ્ય ઈજનેર
તરીકે ઉત્તર ગુજરાત અને અધિક સચિવ તરીકે ચાર
વર્ષ, મુખ્ય
ઈજનેર સૌરાષ્ટ્ર અને અધિક સચિવ તરીકે અને મુખ્ય
ઈજનેર પંચાયત અને અધિક સચિવ તરીકે કામગીરી કરી છે.