ગુંદિયાળી, તા. 27 : સૌપ્રથમ વખત હોમિયોપેથિક મેડિકલ
કોલેજ તેમજ હોસ્પિટલના ભૂમિપૂજનનો સમારોહ યોજાયો હતો, જેમાં દાતાઓ તરફથી દાનની સરવાણી વહી હતી. ગુંદિયાળી ખાતે મોરાવાળી
રોડ વિસ્તારમાં કેસરબેન મેઘજી શિવજી મોતા એજ્યુકેશન
ટ્રસ્ટના નેજા હેઠળ આકાર લેનારી હોમિયોપેથિક
કોલેજ તેમજ હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહના મુખ્ય
અતિથિ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ વસંત મેઘજી મોતા, હસમુખ
મેઘજી મોતા, શરદ મેઘજી મોતા તથા સમસ્ત કેસરબેન મેઘજી શિવજી મોતા
પરિવારના હસ્તે પ્રારંભ કરાયો હતો. સમારોહના પ્રારંભે શ્રી દવે, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી ટ્રસ્ટના સૌ અગ્રણીઓ
દાતાઓ અને રાજકીય સામાજિક અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. અરવિંદભાઈ મોતાએ
ઉપસ્થિત મહેમનોને આવકાર્યા હતા, જ્યારે વસંતભાઈ મોતા, હસમુખભાઈ મોતા,
પૂજાબેન અને પંક્તિબેને માહિતી આપતાં જણાવ્યું હતું કે, 11 એકર અને 47000 સ્ક્વેર ફૂટમાં આ અદ્યતન સંકુલ
તમામ સુવિધાઓથી સજ્જ ટૂંક સમયમાં ઊભું થશે, જેનો કચ્છભરના વિદ્યાર્થીઓને લાભ મળશે. શ્રી
દવેએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, કચ્છમાં
સૌપ્રથમ વખત આ અદ્યતન ટેકનોલોજી તમામ સુવિધાઓથી સજ્જ હોમિયોપેથિક મેડિકલ કોલેજ તેમજ
હોસ્પિટલનું ભૂમિપૂજન કરાયું છે. ડો. ભરતભાઈ મોતાએ હોમિયોપેથિક દવાઓ આડઅસરો રહિત હોવાની
માહિતી આપી હતી. મુંબઈ મુલુંડના રશ્મિકાંત ભાઈલાલ ગોર તરફથી 51 લાખનું દાન તેમજ પાંચ લાખનું
દાન મંગલાજ માતાજી વિકાસ ટ્રસ્ટ મસ્કા જુનાવાસના ટ્રસ્ટીઓ તરફથી ટ્રસ્ટને અર્પણ કરાયું
હતું. માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, ગુંદિયાળી ગ્રામ પંચાયત સરપંચ જસુબા વતી વખતાસિંહ જાડેજા, માંડવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી, માંડવી તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ
જીવરાજભાઈ ગઢવી, માંડવી
તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ અમુલભાઇ દેઢિયા તથા સુરેશભાઈ સંઘાર, ધ્રબુડી વિકાસ ટ્રસ્ટના પ્રમુખ અરાવિંદભાઈ ગોર, ગુંદિયાળી
રાજગોર સમાજના પ્રમુખ જેઠાલાલ બોડા, બાગના પ્રમુખ મૂળજીભાઈ નાકર,
ગુંદિયાળી પ્રમુખ રણજિતાસિંહ જાડેજા, ધ્રબુડી તીર્થધામના
ઉપપ્રમુખ અરાવિંદભાઈ મોતા, મસ્કાના પ્રમુખ નાનજીભાઈ મોતા, બાગ ગામના સરપંચ પ્રિયંકાબેન પારસ
મોતા, મસ્કા જુનાવાસ મંગલાજ માતાજી મંદિરના ભુવા ભગવાનજી નાનજી
મોતા, તલાટી બટુકાસિંહ જાડેજા વગેરેનું વિશેષ સન્માન કરાયું હતું. જે. પી. ગોર,
પ્રવીણભાઈ પેથાણી, પ્રકાશભાઈ ગોર, રજનીકાંત રામજી મહેતા, ન્યૂરાજભાઈ નાકર, વિજયભાઈ ગોર, ભરત ભોગીલાલ ગોર, અરાવિંદભાઈ અજાણી, ભરતભાઈ જાદવજી ગોર, હીરાલાલ નાનજી મોતા, સતિષભાઈ ગોર, શંભુભાઈ ગોર, ચેતનભાઈ ગોર, નરોત્તમભાઈ
ગોર, દીપકભાઈ સોની ,
હરિઓમ અબોટી, શિશુમંદિર માંડવીના
ધર્મેશભાઈ જોશી, હીરજીભાઈ કારાણી, માંડવી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ
નીલેશભાઈ મહેશ્વરી, ભાવેશભાઈ સંગાર, પ્રકાશભાઈ નાથાણી, શંભુલાલ નાગુ, કમલેશભાઈ મોતા, ડોક્ટર
પંકજ શાહ બિદડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મયૂરભાઈ
મોતા, અરાવિંદભાઈ, પારસભાઈ મોતા, વિજય રબારી, ભાઈલાલ નારાણજી મોતા, આનંદ નાગુ, રાજેશ નાગુ, જય મોતા, ગિરીશ નાકર,
સચિન નાગુ, ધીરજ નાગુ, કિશોર
પેથાણી, રસિકભાઈ રાજગોર, પ્રકાશ નાથાણી,
અક્ષય મોતા, શરદ મોતા, ભરતભાઈ
ગોર વગેરેએ જહેમત ઉઠાવી હતી. શાસ્ત્રોક્તવિધિ
નારાણભાઈ શાસ્ત્રીએ કરી હતી. સંચાલન મહેશભાઈ મોતા, વિમલભાઈ નાગુએ અને આભારવિધિ
સ્વાતિબેન શરદભાઈ મહેતાએ કરી હતી.