• શનિવાર, 28 જૂન, 2025

ગાંધીધામમાં નવાં મકાનના તણાવમાં મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ

ગાંધીધામ, તા. 27 : શહેરમાં નવાં મકાનના માનસિક તણાવના કારણસર  ગાંધીધામમાં પરિણીતા રંભાબેન નનહેભાઈ રાય (ઉ.વ.27)એ  ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ હતું. અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં જાગૃતિબેન જીવણભાઈ પરમારે (ઉ.વ.15) અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કેશહેરના સેકટર-5માં મકાન  નં.279માં રહેતાં રંભાબેન ગઈકાલે સાંજે 4.45 વાગ્યાના અરસામાં  પોતાનાં ઘરમાં સાડી વડે પંખામાં ગળેફાંસો ખાધો હતો.  રામબાગ હોસ્પિટલના ડો. પાર્થ અગ્રવાલે આ મહિલાને  મૃત જાહેર કરી હતી. નવાં ઘરના માનસિક તણાવના કારણે આ મહિલાએ આવું અંતિમ પગલું ભરી લીધું હોવાનું ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દફતરે નોંધાયેલી જાણવા જોગ નોંધમાં જણાવવામાં આવ્યું છે. મૃતકનો લગ્ન ગાળો બે વર્ષનો હતો. પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ આરંભી છે. બીજીબાજુ મેઘપર કુંભારડીમાં  ગોપાલ પાર્કમાં રહેતી  કિશોરી જાગૃતિબેને પોતાનાં ઘરેમાં  ગઈકાલે સાંજના 8 વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાધો હતો. તેમને અંજારનાં સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે લવાતા  ફરજ ઉપરના તબીબ ડો. ઉદિત કેલાએ મૃત જાહેર કરી હતી. કિશોરીએ કયા કારણોસર આ પ્રકારનું અંતિમ પગલું ભરી લીધું હશે સહિતની બાબતો  જાણવા માટે પોલીસે વધુ છાનબીન હાથ ધરી છે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd