દયાપર (તા. લખપત), તા. 27 : લખપત તાલુકાના
આશાલડી અને મુરચબાણ ગામની સીમમાં 70થી 100 મીટર પહોળા
ખાડા કરી કિંમતી ખનિજની ચોરી થતી હોવાની ફરિયાદ કરાઇ છે. ગામના અબ્દુલ જુસબ જત તથા
ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર તેમજ ઉચ્ચ કક્ષાએ લખાયેલા પત્રમાં કહ્યું હતું કે, મુરચબાણ સીમાડામાં ભારે મશિનો દ્વારા ખોદકામ
કરી 1000 ટન બેન્ટોનાઇટ, બોકસાઇટ માટીનો જથ્થો કાઢી સ્ટોક કરાયેલો છે.
સાત ડેમનો વર્કઓર્ડર આશાલડીનો છે, પણ ખોદકામ મુરચબાણમાં થઇ રહ્યું
છે. ડેમ- તળાવની આડમાં ખનિજચોરી થઇ રહી છે. આ બાબતે અગાઉ પણ સ્થાનિક પ્રશાસનને જાણ
કર્યા પછી પણ કોઇ પગલાં ભરાતાં નથી. ખનિજચોરીથી સરકારને કરોડોનું નુકસાન થઇ રહ્યું
છે. અગાઉ ખનિજચોરીમાં પકડાયેલ બે શખ્સ અને અમુક સ્થાનિક અગ્રણીની પણ સંડોવણી હોવાની
શક્યતા પત્રમાં વ્યક્ત કરાઇ હતી.