ગાંધીધામ,
તા. 11: અંજારમાં ટેઈલરની ટકકરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ
નારણભાઈ પુંજાભાઈ દાફડા(ઉ.વ.24 ) નુ મૃત્યુ થયુ હતું.
અકસ્માતનો આ બનાવ જી.આઈ.ડી.સી વિસ્તારમાં કચ્છ
એન્જીનિયરીંગ સામે ગઈકાલે બપોરે 2 વાગ્યાના અરસામાં
બન્યો હતો. પોલીસસુત્રોએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે ટેઈલર જીજે.12.બીવી.5065 ના
ચાલકે મોટર સાઈકલ જીજે.39.ઈ.3618ને ટકકર મારી હતી.જેમાં મોટર સાઈકલ ચાલક નારણભાઈને
શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તત્કાળ મોત નીપજયું હતું. આ
અંગે મૃતકના ભાઈ કિશનભાઈ પુંજાભાઈ દાફડાની ફરીયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી
છે.