ઢાકા, તા. 20 : ભારત અને બાંગલાદેશ વચ્ચે ચાલી
રહેલા તણાવ વચ્ચે બાંગલાદેશ કથિત રીતે દક્ષિણ ત્રિપુરામાં મુહુરી નદીની આસપાસ વધુ એક
ડેમનું નિર્માણ કરી રહ્યું હોવાથી રાજ્યની નજીકના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ
શકે તેવી આશંકાના પગલે બેલોનિયાથી સીપીએમના ધારાસભ્ય દીપાંકર સેને આમુદ્દે કેન્દ્રીય
ગૃહ મંત્રાલય તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી માંગ કરી હતી. એમ મીડિયા હેવાલ મુજબ, સ્થાનિક રહેવાસીઓને ટાંકીને સેને જણાવ્યું હતું
કે, બાંગલાદેશ દ્વારા નિર્માણાધીન ડેમની લંબાઈ 1.5 કિલોમીટર છે, જે 20 ફૂટ ઊંચો છે. સેને વધુમાં
કહ્યું હતું કે, ઈન્દિરા-મુજીબ સમજૂતી હેઠળ
કોઈ પણ દેશ ઝીરો લાઈનના 150 વારની અંદર
નિર્માણ ન કરી શકે, પરંતુ આ બંધનું
50 વારથી પણ ઓછા અંતર પર અને કેટલીક
જગ્યાએ 10 વારથી પણ ઓછા અંતરે નિર્માણ
થઈ રહ્યું છે, જેના કારણે દક્ષિણ ત્રિપુરામાં
અનેક જળની સપાટી ઊંચી લાવવાની યોજનાઓ રોકી દેવાઈ છે. સીપીએમના સૂત્રોને ટાંકીને સેને
કહ્યું હતું કે, આ મુદ્દે હેવાલની રાહ જોવાઈ રહી છે. જો કે,
સ્થાનિક પોલીસે કહ્યું હતું કે, ઘટનક્રમની તપાસ
થશે. દક્ષિણ ત્રિપુરાના એસપી મોર્ય કૃષ્ણ સી સેને કહ્યું હતું કે, આ મામલો અમારા ધ્યાને આવ્યો છે અને અમે તેની તપાસ કરી રહ્યા છીએ. બાંગલાદેશના
સતત સંચાલન હેઠળ રોજ 10 ડ્રેજરનો
ઉપયોગ કરાઈ રહ્યો છે તેમ પણ અધિકારીએ જણાવ્યું હતું.