• ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026

ગાંધીધામના વેપારીએ શેખપીર પાસે ઊભેલી ટ્રકમાં કાર ઘૂસાડી દેતાં મોત

ભુજ, તા. 15 : આજે બપોરે 3.30થી 4 વાગ્યા દરમિયાન શેખપીર પાસે ઊભેલી ટ્રકમાં ગાંધીધામના 56 વર્ષીય વેપારી નરેશભાઇ ધરમદાસ ચંદનાનીએ પોતાની કાર ઘૂસાડી દેતાં માથામાં ગંભીર ઇજાના પગલે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવથી ગાંધીધામ વેપારી આલમમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. હતભાગી નરેશભાઇ પોતાના કબજાની કાર નં. જીજે-12-સીજી-8191 લઇને ગાંધીધામ બાજુ જવા શેખપીરથી કુકમા વચ્ચેથી આજે બપોરે 3.30થી 4 વાગ્યા દરમ્યાન પસાર થઇ રહ્યા હતા, ત્યારે ઊભેલી ટ્રકમાં ઘૂસાડી દેતાં કારની આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો અને નરેશભાઇને આ બનાવ અંગે પદ્ધર પોલીસનો સંપર્ક કરતાં પોલીસે જણાવ્યું કે, મૃતકના પુત્ર નિખિલભાઇએ નિવેદનમાં લખાવ્યું છે કે, હાલ આ બનાવને લઇ તેઓ આઘાતમાં છે અને ભવિષ્યમાં વિગતો નોંધાવશે. મૃતક નરેશભાઇ ગાંધીધામ વેપારી મંડળના પ્રમુખ રાજુ ચંદનાનીના ભાઇ છે. નરેશભાઇના આ અકળ મૃત્યુના બનાવને પગલે ગાંધીધામના વેપારીઓમાં આઘાતની લાગણી પ્રસરી છે.

આપઘાતના વીડિયો બાદ મોત

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતના બનાવ પૂર્વે જ હતભાગી નરેશભાઇએ આપઘાત કરવા જઇ રહ્યા અંગેનો પોતાનો વીડિયો ઉતાર્યો હતો, જેમાં તેમણે દુકાન અને પ્લોટને લઇ જે-જે લોકો દ્વારા કઇ-કઇ રીતે પજવણી કરવામાં આવી હતી તેનો ઉલ્લેખ કર્યા બાદ ભાવુક બની પોતે આપઘાત કરવા જઇ રહ્યાનું જણાવી તેમના પુત્ર અને પરિવારને ન્યાય આપવા અપીલ કરી હતી. આ વીડિયો પરિજનો સુધી અને ત્યારબાદ મીડિયા સુધી પણ પહોંચાડયો હતો.

Panchang

dd