• શુક્રવાર, 09 મે, 2025

અંજાર હત્યા કેસનો અન્ય આરોપી ઝડપાયો

ગાંધીધામ, તા. 20 : અંજાર તાલુકાના વરસામેડી સીમમાં અરિહંતનગર સોસાયટી પાછળ યુવાનની હત્યા નીપજાવી બે શખ્સ નાસી ગયા હતા. અઢી મહિના પહેલાંના આ બનાવમાં જે-તે વખતે ઇન્દ્રજિતસિંહ પહેલવાનસિંહ ગુજરની પોલીસે અટક કરી હતી જ્યારે મોબાઇલ લઇને નાસી જનારા મૂળ ઉત્તરપ્રદેશના ધીરજકુમાર જગતનારાયણ બાથમને હૈદરાબાદથી પોલીસે ઝડપી લીધો હતો. આ શખ્સ પાસેથી મૃત્યુ પામેલા યુવાનના બે મોબાઇલ હસ્તગત કરાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd