ગાંધીધામ, તા. 28 : અંજાર તાલુકાનાં એક ગામમાં
સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના 11 વર્ષ જૂના કેસમાં કોર્ટે એક આરોપીને નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો છે. આ કેસની પૂર્વ વિગતો
મુજબ અંજાર કોર્ટે ગત શુક્રવારે આ કેસ સંદર્ભે
આપેલા ચુકાદામાં આરોપી રાજેશ બાબુ ખુંગલાને 11 મહિનાની સજા ફટકારી હતી, જ્યારે બીજા આરોપી બધા કાના ચાવડાને
અપહરણ, બળાત્કાર સહિતના
ગુનામાંથી સીઆરપીસી કલમ 235(1) અન્વયે
નિર્દોષ છોડી મુકતો હુકમ કર્યો હતો.