ભુજ, તા. 8 : માંડવી તા.ના નાના ભાડિયા ગામની
બહાર આવેલ ખેતરપાળ-ક્ષેત્રપાળ દાદાની જગ્યામાં સમયાંતરે દાતાઓ તેમજ વિસ્તારમાં ચૂંટાયેલા
પ્રતિનિધિઓની ગ્રાન્ટમાંથી ભક્તોની સુવિધાઓ વધારવા કામો થતાં રહે છે. ટુંડા ગામ તરફ
જતા મુખ્ય માર્ગે આવેલ આ ધાર્મિક સ્થાનકે પ્રસાદાલય,
પરિસરમાં ઈન્ટરલોક, પશુઓના પાણી માટે અવાડા,
પક્ષીઓ માટે ચબૂતરા તથા મોટા પાયે વૃક્ષોનું વાવેતર બાદ જતન અને સારસંભાળના
લીધે ઘટાદાર વૃક્ષો આકાર પામ્યા છે. તાજેતરમાં બિદડા જિલ્લા પંચાયત સીટના સદસ્યા સોનબાઈ
ખેતશી ગઢવીની 3 લાખની સરકારી
ગ્રાન્ટમાંથી મંદિરની આગળ ભક્તોને તડકા અને વરસાદથી બચવા માટે શેડનું નિર્માણ કાર્ય
સંપન્ન થયા બાદ લોકાર્પણ કરાયું હતું. મંદિર વિકાસના કાર્યોમાં ભુજ નિવાસી સ્વ. ચમનલાલ
શંકરજી વ્યાસ પરિવાર-પુત્રો અનિલભાઈ અને કેતનભાઈ,
ભુજ રાજગોર સમાજના પ્રમુખ વિજયભાઈ ગોર, વીરમ કે.
ગઢવી, રમેશ ગઢવી (તલાટી), ઉમિયાશંકર કે.
વ્યાસ, ઉમિયાશંકર જે. વ્યાસ, શાંતિલાલ વ્યાસ,
વિપુલ શિણાઈ તેમજ સ્થાનક સાથે સંકળાયેલા ભાવિકો સહયોગી બન્યા હતા. આગામી
દિવસોમાં સુવિધાઓમાં ખૂટતી કડીઓને પૂરી કરવાની નેમ પણ સંચાલકોએ વ્યક્ત કરી હતી.