• સોમવાર, 09 જૂન, 2025

ભચાઉની સરકારી જમીન પચાવી પાડી હોવાની રાષ્ટ્રીય તપાસ આયોગમાં ફરિયાદ

ગાંધીધામ, તા. 8 : ભચાઉની સીમમાં આવેલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીક કરોડો રૂપિયાની સરકારી જમીનના વેચાણના ગેરકાયદે દસ્તાવેજો બનાવીને બે વ્યક્તિને ખોટી રીતે કબજેદાર તરીકે નોંધણી કરાવવામાં આવી હોવાની જિલ્લા કલેક્ટર બાદ રાષ્ટ્રીય તપાસ આયોગમાં ફરિયાદ કરવામાં આવી છે અને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન તત્કાળ હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. ભચાઉ ગાંધીધામ રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને આવેલી વાણિજ્ય કે ઉદ્યોગહેતુ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી આ સરકારી જમીન પચાવી પાડવામાં આવી છે. અરજદાર અનિલ વિધાણીએ નવી દિલ્હીમાં આવેલા કેન્દ્રીય ચકાસણી આયોગને પત્ર લખીને સરકારી જમીનના નકલી વેચાણ દસ્તાવેજો બનાવીને ખોટી રીતે ખાનગી વ્યક્તિઓના નામે રેકોર્ડમાં દાખલ કરવામાં આવી છે, જેના કારણે સરકારને લગભગ 7થી 8 કરોડનું આર્થિક નુકસાન છે. અગાઉ સંબંધીત વિભાગોના તમામ અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી છે. જિલ્લા સમાહર્તાને પણ આ બાબતે ફરિયાદ કરવામાં આવી છે ને તપાસ કરીને ફોજદારી ગુનો દાખલ કરવાની પણ માંગ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ પગલાં ભરવામાં ન આવતાં રાષ્ટ્રીય તપાસ આયોગ આ મામલે તત્કાળ હસ્તક્ષેપ કરે તેવી માંગ કરવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd