ભુજ, તા. 29 : અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટીમાં
વર્ષ 2025-27 માટે કેન્દ્રીય કાર્યકારિણી
સદસ્ય તેમજ સમગ્ર ભારતના અણુવ્રત કાવ્યધારા અભિયાનના પશ્ચિમાંચલ સહસંયોજક તરીકે મહેશ
પ્રભુલાલ મહેતા-ભુજની નિમણૂક કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ હાલમાં અણુવ્રત સમિતિ-ભુજ અધ્યક્ષ તરીકે
સેવા આપી રહ્યા છે. તેઓ કચ્છમિત્ર પૂર્તિ-ધર્મભૂમિમાં દર ગુરુવારે મહાવીરવાણી કોલમ
તેમજ જૈન ધર્મના વિવિધ લેખો પણ લખે છે.