• સોમવાર, 30 જૂન, 2025

કાલથી આધારકાર્ડ નહીં હોય તો પાનકાર્ડ બની શકશે નહીં

નવી દિલ્હી, તા. 29 : સરકારે પાનકાર્ડના નિયમોમાં બદલાવ કર્યો છે. પહેલી જુલાઇથી આધારકાર્ડ નહીં હોય, તેવા નાગરિકો પાનકાર્ડ મેળવી શકશે નહીં. આવાં પગલાંથી કરચોરી પર અંકુશ આવશે, તેવું કેન્દ્ર સરકારે જણાવ્યું હતું. એ સિવાય પાનકાર્ડ છે, તેમણે પણ 31મી ડિસેમ્બર સુધીમાં આધાર સાથે જોડાણ કરવું પડશે, નહિતર પહેલી જાન્યુઆરી-2026થી પાનકાર્ડ નિક્રિય થઇ જશે. આવક વેરા વિભાગની વેબસાઇટ પર ગેટ ન્યૂ ઇ-પાન વિકલ્પ પસંદ કરી, આધાર નંબર ભરવાનો રહેશે. પછી ઓટીપી વેરીફાઇ કરાવવાનો રહેશે. આધારની વિગતો આપોઆપ ભરાઇ જશે. સબમીટ બટન પર ક્લિક કર્યા પછી જાણકારી સાચી હશે, તો ઇ-પાનકાર્ડ તરત બની જશે. 

Panchang

dd