ગાંધીધામ, તા. 29 : ભચાઉ તાલુકામાં આવેલી સરકારી જમીનને ખોટી રીતે વેચી મારવાના
બનાવ મામલે તાજેતરમાં પ્રાંત અધિકારી દ્વારા યથા સ્થિતિના આદેશ આપ્યા છે. દરમ્યાન આ
પ્રકરણમાં સંડોવાયેલા શખ્સો સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર સમક્ષ વધુ એક વખત રજૂઆત
કરવામાં આવી છે. જિલ્લા કલેકટરને પાઠવેલા પત્રમાં નામજોગ અરજી કરી છે. ભચાઉ તાલુકામાં
કરોડોની કિંમતની કિંમતી જમીન વેચી નાખવાનાં પ્રકરણમાં તેમની સામે ફરિયાદ થઈ છે. આ પ્રકરણમાં
સંડોવાયેલા ત્રણ શખ્સ વિવાદ વાળી જમીન ખરીદી
ભ્રષ્ટ રીતે જમીનો કાયદેસર કરાવવાનો કારસો રચ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. આ
શખ્સોએ ભચાઉ ઉપરાંત અંજાર, ગાંધીધામ,
તાલુકામાં પણ વિવાદવાળી જમીનો ખરીદી હોવાનું પત્રમાં જણાવાયું છે. અનેક
વિવાદ કેસમાં આ શખ્સો વાદી-પ્રતિવાદી તરીકે દર્શાવાયેલા જોવા મળશે. આ અંગેના વિવિધ
પુરાવા સાથે અનિલ વિધાની, પરેશ ધાનાણી, હરેશભાઈ, હાર્દિક
માવાણી, હરેશ વિધાની, મણિલાલ ધાનાણી દ્વારા
રજૂઆત કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય
છે કે, ભચાઉ મામલતદાર દ્વારા અગાઉ માર્ચ મહિનામાં જ
વિવાદિત સરકારી જમીનમાં પાછળથી થયેલી ત્રણ નોંધ રદ કરવા જિલ્લા કલેક્ટર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી.
આ અંગેની જાણ અરજદારોને તાજેતરમાં થઈ હતી.