ઓટાવા, તા. 21 : કેનેડામાંથી
મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે
કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત
કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુન:સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ કે.
પટનાયકની કેનેડામાં ભારતના નવા રાજદૂત તરીકે નિમણૂક કરી છે. પટનાયકે તાજેતરમાં એક
મુલાકાતમાં જણાવ્યું હતું કે,
ભારતીયોને હવે કેનેડામાં સલામતી નથી લાગતી. એટલું જ નહીં તેમણે
જણાવ્યું હતું કે, કેનેડામાં ભારતના રાજદૂત હોવા છતાં તેમણે
સતત સુરક્ષા વ્યવસ્થા સાથે ફરવું પડે તે અજુગતુ લાગે છે. કેનેડાએ આ સ્થિતિને
ભારતીયોની સમસ્યા તરીકે ના મૂલવવી જોઈએ. આ કેનેડાની સમસ્યા છે.