• શુક્રવાર, 29 મે, 2026

દહેજનાં મ્હેણા-ટોણાથી કંટાળી ગઢશીશામાં યુવા પરિણીતાએ આપઘાત કર્યાની ફરિયાદ

ભુજ, તા. 28 : દહેજ ઓછું લાવ્યાના પતિનાં મ્હેણા-ટોણાથી કંટાળી ગઢશીશામાં યુવા પરિણીતા સાલુબેન અર્જુનસિંહ પરિહારે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યાની ફરિયાદ નોંધાઇ છે. ગત તા. 22/5ના ગઢશીશાની જીએમડીસી કોલોનીમાં હજુ છ માસ પૂર્વે જ પરણેલી યુવા પરિણીતા સાલુબેને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતક સાલુબેનના પિતા અશોકસિંગ બ્રુંદાવનસિંગ રાજપૂત (રહે. અમદાવાદ, મૂળ રાયબરેલી)એ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી સાલુનો પતિ અર્જુનસિંહ પરિહાર સાલુને સતત મ્હેણા-ટોણા મારતો હતો કે, તારા પિતાએ લગ્નમાં 10 લાખ રૂપિયા તેમજ ઘરવખરીના સામાન સિવાય બીજું કંઇ આપ્યું નથી. તું દહેજ ઓછું લાવી છો. આથી શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી સાલુએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસે દહેજ પ્રતિબંધ અને મરવા મજબૂર કર્યા અંગેની કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

Panchang

dd