• મંગળવાર, 14 એપ્રિલ, 2026

ત્રણ આકરા ગ્રહોની યુતિ ઇરાન યુદ્ધ શાંત થવા નહીં દે

મિરજાપર, તા. 13 : શનિ મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. ગત તા. 15/3થી સૂર્યે મીન રાશિમાં પ્રવેશ કર્યો, 3 એપ્રિલથી મંગળ પણ આ રાશિમાં પ્રવેશ્યો. આ ત્રણે ગ્રહોના જળ તત્ત્વનો મીન રાશિમાં સંગમ થયો છે. દોઢ માસ સુધી શનિ મંગળની ટક્કર રહેશે. મંગળ અને સૂર્ય અગ્નિ તત્ત્વ, શનિ વાયુ તત્ત્વ આ વિરોધાભાસ છે. આ સંક્રાંતિ કાળ ચાલી રહ્યો છે. આ વિરુદ્ધ પ્રકૃતિના ગ્રહો પોતાની શક્તિનો પરિચય કરાવશે. વર્તમાનમાં સ્થિતિ વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે. આ યુદ્ધ શાંત નહીં થાય, અટકશે નહીં. કારણ કે શનિ અને મંગળની યુતિ વિસ્ફોટ ઉત્પન્ન કરશે. ઇરાન-અમેરિકાની મંત્રણા સમાધાનની આશા જાગ્યા પછીએ નિષ્ફળ રહેવાનું કારણ ગ્રહોની આ યુતિ જ છે. ગ્રહોની આ યુતિ અને ગતિ નકારો સંકેત આપી રહી છે. આ યુદ્ધ નુકસાનકારક છે, જેથી સતત સાવધાન રહેવું પડશે. કારણ કે સંઘર્ષો અને કઠિનાઇઓમાં વૃદ્ધિ થશે. હજુ મોંઘવારી વધશે. મધ્ય-પૂર્વના યુદ્ધથી સમગ્ર વિશ્વ ખળભળી ઊઠયું છે તેમજ અફવાઓ ફેલાઇ રહી છે. શનિ શાંત અને ધીમી ગતિનો ગ્રહ છે, જ્યારે મંગળ પરાક્રમ અને આક્રમક ગ્રહ છે. જેથી આ પરિસ્થિતિ હજુ વિકરાળ રૂપ ધારણ કરશે. શનિ સૂર્ય-મંગળને હવા નાખી રહ્યો છે. અર્થાત્ આગ ભભૂકતી જ રહેશે. વૈશ્વિક મંદી આવશે એવું ડો. શશિકાંત આચાર્યની યાદીમાં જણવાયું છે.

Panchang

dd