નવી દિલ્હી, તા. 13 : હોર્મુઝને
અમેરિકી નાકાબંધીથી ઉચાટ વચ્ચે ભારત માટે સારા સમાચાર લેખી શકાય, તેવા ઘટનાક્રમમાં ભારતીય
જહાજ `જગવિક્રમ'
20,400 ટન એલપીજી સાથે આવતીકાલે મંગળવારે ગુજરાતમાં કચ્છના કંડલા
બંદરે પહોંચશે. તાણગ્રસ્ત ક્ષેત્ર બની ચૂકેલાં હોર્મુઝને સલામત રીતે પાર કરી
ચૂકેલાં આ જહાજમાં લવાતા એલપીજીમાંથી 15 લાખ જેટલાં ઘરેલું રાંધણગેસ
સિલિન્ડર ભરી શકાશે. ભારતના બંદરો, જહાજ, જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે સોમવારે આ અંગે જાણકારી આપી
હતી. `જગવિક્રમ'
જહાજ પર 24 નાવિક સવાર છે. બે સપ્તાહના
અસ્થાયી યુદ્ધવિરામ બાદ આ પહેલું ભારતીય જહાજ છે.