ભુજ, તા. 7 : ભુજ તપગચ્છ જૈન સંઘમાં 500 શ્રમણીગણનાયક જૈનાચાર્ય રશ્મિરત્નસૂરિશ્વરજી
મહારાજની નિશ્રામાં ગુરુદેવ ગુણરત્નસૂરિજીની છઠ્ઠી ર્સ્વારોહણ વાર્ષિક તિથિ નિમિત્તે
ગુણાનુવાદ પાર્ટ-2નું આયોજન
કરવામાં આવ્યું હતું. `ઓમ જય ગુણરત્નસૂરિ' ગીતનું સમૂહગાન બાદ પિતા મુનિઓ તથા જેન-ઝી આઠ મુનિ દ્વારા ગુણાનુવાદ થયા હતા. ગુરુવારે
150થી વધુ ભાઇ-બહેને ગુરુગુણ ડેરીને
108 પ્રદક્ષિણા આપી, જે શુક્રવારે પણ ચાલુ હતી. આજે વિશેષ આકર્ષણમાં
`પૂજ્ય ગુરુદેવના અંતિમ રજોહરણ'ના દર્શન સકલ સંઘને કરાવવામાં આવ્યા હતા. બપોરે
બહેનોમાં પ્રવર્તિની સાધ્વી પુણ્યરેખાશ્રીજી આદિએ ગુણાનુવાદ કર્યા. ભારતમાં ઠેર-ઠેર
સુરત, અમદાવાદ, મુંબઇ, બેલ્લારી, બેલગામ, બેંગ્લોર,
જોધપુર, મહેસાણા આદિ જૈન સંઘોમાં ગુરુગુણની ગૌરવગાથા
ગાવામાં આવી હતી. તપગચ્છ સંઘના પ્રમુખ કીર્તિભાઇ શાહે સંઘની અખબારી યાદીમાં જણાવ્યું
કે, તા. 9 ઓગસ્ટ રવિવારે સવારે 8થી 10 જેન-ઝી આધ્યાત્મિક
શિબિર યોજાશે. મનોવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન આધારિત આ શિબિરનો વિષય રહેશે `ટેક ઇટ ઇઝી એન્ડ માઇન્ડ કંટ્રોલ.' બપોરે 3-30 વાગ્યે રામાયણ પર આધારિત પ્રવચન
રહેશે. જેનો વિષય હશે `રમે તે રામ
અને રડે તે રાવણ' તથા રામાયણ
રજોહરણની ખાણ ! રાત્રિ પ્ર્રવચનમાં યુવાનો દરરોજ દૂર-દૂરથી આવી લાભ લઇ રહ્યા છે. વિષય
છે `જૈનીઝમ : અ પરફેક્ટ સાયન્સ એન્ડ મોટીવેશનલ
સ્ટોરી.