• મંગળવાર, 01 જુલાઈ, 2025

રક્તનો જથ્થો જાળવી રાખવા કરાયો અનુરોધ

ભુજ, તા. 9 : ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ દ્વારા ભુજના ત્રિમંદિર ખાતે વર્લ્ડ રેડક્રોસ-ડે અને વર્લ્ડ થેલેસેમિયા-ડે નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રેડક્રોસના સ્વયંસેવકો, પોલીસ દળના જવાનો તેમજ શહેરીજનો રક્તદાન માટે જોડાયા હતા. રાજ્યના હેલ્થ કમિશનર હર્ષદ પટેલ, કચ્છ જિલ્લા કલેકટર આનંદ પટેલ, રેડક્રોસ કચ્છના ચેરમેન ધવલભાઇ આચાર્ય, ખજાનચી સંજયભાઇ ઉપાધ્યાય, સેક્રેટરી મીરાબેન સાવલિયા તથા પરાગભાઇ લિયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પટેલે સોસાયટીની બ્લડબેંકની કામગીરીનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વર્તમાન સમયમાં દેશભરમાં સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે બ્લડ સ્ટોક જાળવવાનો સંદેશ આપ્યો હતો.આ પ્રસંગે અમરબાઇ ભીમજી કરશન રાઘવાણી પરિવારના કલ્યાણભાઇ લક્ષ્મણભાઇ રાઘવાણી, તેમના પત્ની ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત નિયમિત રક્તદાતા કુલદીપભાઇ ગોહિલ અને હીરામભાઇ લંબાચિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સેસાયટી તરફથી દરેક વિભાગ અને નાગરિકોને વધુમાં વધુ રક્તદાન  કરવા અપીલ કરવામાં આવી હતી, જેથી આવશ્યક સમયે કોઇને રક્તની અછત ન અનુભવવી પડે.રેડક્રોસ સોસાયટી કચ્છ સંચાલિત અમરબાઇ ભીમજી કરશન રાઘવાણી બ્લડ સેન્ટર ખાતે કોઇપણ જાતના રિપ્લેસમેન્ટ વગર દર્દીઓને રક્ત આપવામાં આવતું હોવાનું જણાવીને વર્તમાન સમયમાં રેડક્રોસ ભવન ખાતે 24#7 સંચાલન કરવામાં આવી રહ્યું છે તેમજ રક્ત દાતાઓ અહીં આવીને પણ રક્તદાન કરી શકે છે. આ ઉપરાંત કોઇ સંસ્થા બ્લડ ડોનેશન કેમ્પ યોજવા ઇચ્છે તો તે માટે પણ ઇન્ડિયન  રેડક્રોસ સોસાયટી કચ્છ તૈયાર હોવાનું ચેરમેન શ્રી આચાર્યએ જણાવ્યું હતું. 

Panchang

dd