ભુજ, તા. 26 : બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ અમદાવાદ દ્વારા સંસ્કૃત પ્રબોધ (બોલચાલ) પરીક્ષામાં ભુજ સ્વામિનારાયણ મંદિર ના સાંખ્યયોગી મંજુબાઈ લાલજી કેરાઈએ 100માંથી 100 ગુણ મેળવી કચ્છમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હોવાનું વિભાકર અંતાણીએ જણાવ્યું હતું. આ વર્ગોનું સંચાલન આશાબેન સ્વાદિયા અને જયશ્રીબેન હાથીએ કર્યું હતું. સાંખ્યયોગી મંજુબાઈ ગુરુ સાંખ્યયોગી ધનબાઈ કારાને બહેનોના મંદિરના મહંત બાઈએ અભિનંદન પાઠવ્યા હતા તેમજ પ્રારંભ પરીક્ષામાં પણ 100માંથી 74 ગુણ પ્રાપ્ત કર્યા હતા અને વિશેષ યોગ્યતા સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, એવું આશિષભાઈ વૈદ્યએ જણાવ્યું હતું.