• સોમવાર, 20 મે, 2024

મુંદરા તપગચ્છ જૈન સંઘમાં પંન્યાસ પ્રવચનકારનું સામૈયું

મુંદરા, તા. 8 : અહીંના તપગચ્છ જૈન સંઘ ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે પંન્યાસ પ્રવચનકાર અંનત જ્ઞાનવિજયજી મહાત્મા આદિ ઠાણા-2નું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. સાથે નગરમાં ધર્મમય માહોલ ઊભો થયો હતો. પાંજરાપોળથી પ્રસ્થાન થયેલાં સામૈયાની બસ સ્ટેશન, જવાહર ચોક, માંડવી ચોક થઈને જિનાલય ખાતે પૂર્ણાહુતિ થઈ હતી. પ્રસંગે મહારાજ સાહેબે માંગલિક ફરમાવતાં જણાવ્યું કે, મનુષ્ય જન્મ મળ્યો છે તો જીવનું કલ્યાણ કરો. સંઘનાં હરેશ મહેતા સહિતનાં ભાઈઓ - બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વ્યાખ્યાન રોજ સવારનાં 7-15થી 8-15 દરમ્યાન રહેશે, એમ વિનોદ મહેતાની યાદીમાં જણાવાયું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang