• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

હર્ષ સંઘવી ફરી દિલ્હી દરબારમાં : 27ની ચૂંટણી મુદ્દે મંથન : ગુજરાતમાં અટકળો

અમદાવાદ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના રાજકારણમાં આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને હલચલ અત્યારથી જ તેજ થઈ ગઈ છે. આ જ ક્રમમાં ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી અને અગ્રણી નેતા હર્ષ સંઘવી છેલ્લા ત્રણ દિવસમાં બીજીવાર દિલ્હીના પ્રવાસે રવાના થયા છે. તેમની આ અચાનક અને સતત દિલ્હી મુલાકાતે રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓને વેગ આપ્યો છે.  આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સાથે સંઘવી દિલ્હીની મુલાકાતે ગયા હતા. જોકે મુખ્યમંત્રી હાલમાં અમેરિકાના પ્રવાસે છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર, હર્ષ સંઘવીની આ દિલ્હી મુલાકાત પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય 2027ની વિધાનસભા ચૂંટણી માટેની રણનીતિ ઘડવાનો અને સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવાનો છે. દિલ્હીમાં તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠકો યોજવાના છે.

Panchang

dd