સુમરાપોર-પચ્છમ (તા. ભુજ),
તા. 31 : તાલુકાના
ધોરાવર ગામના સીમાડામાં રાત્રિના ભાગે ચરિયાણ માટે ગયેલા ધણ પૈકી છ ગાયના ભેદી મોતથી
અરેરાટી ફેલાઇ છે. ગામના માલધારી સમા શકુર માણસીંગની ગાયો દરરોજ રાબેતા મુજબ રાત્રિના
ભાગે સીમાડામાં ચરિયાણ અર્થે ગઇ હતી, પરંતુ આ ગાયો પરત ન ફરતાં માલિક દ્વારા સીમાડામાં શોધખોળ આદરવામાં આવતાં ગામથી
થોડે દૂર છ ગાય ભેદી રીતે મોતને ભેટી હોવાનું માલૂમ પડયું હતું. સીમાડા કે ખેતરોમાં
સંભવિત કોઇ પદાર્થ ખાધા બાદ અચાનક આ ગાયો મોતને ભેટી હોઇ શકે તેવો વસવસો માલધારીઓએ
વ્યક્ત કર્યો હતો.