નવી દિલ્હી, તા.10 : આઈપીએલ
એક સપ્તાહ માટે સ્થગિત કરવામાં આવી છે અને ટીમ ઈન્ડિયાનો આગામી પ્રવાસ ઈંગ્લેન્ડનો
છે. જેમાં પાંચ ટેસ્ટ ભારતીય ટીમ રમવાની છે. આ પ્રવાસ માટે ભારતીય ટીમ જુનમાં ઈંગ્લેન્ડ
રવાના થાય તેવી સંભાવના છે. આ પહેલા ટીમની પસંદગી થવાની છે અને તેની સંભવિત તારીખ પણ
સામે આવી ચૂકી છે. આ દરમિયાન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કરી દીધું છે અને
કોહલીએ પણ ટેસ્ટમાંથી સંન્યાસનો વિચાર બોર્ડને બતાવ્યો છે. બીજી તરફ બીસીસીઆઈ કોહલીને
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે મનાવવા માગે છે. ટેસ્ટ
શ્રેણી માટે પસંદગીકારોની બેઠક 23 મે અથવા તેની પહેલાં થવાની છે તેમજ 23મીએ
ટીમની ઘોષણા થવાની સંભાવના છે કારણ કે ઈન્ડિયાનો પ્રવાસ પણ તેમાં સામેલ છે. આ ઉપરાંત
નવા ટેસ્ટ કેપ્ટનનું એલાન કરવા માટે પણ બીસીસીઆઈએ એક પત્રકાર પરિષદ રાખી છે. જો કે
તેની તારીખ અને જગ્યા હજી સુધી નક્કી કરવામાં આવી નથી. જો કોહલી ટેસ્ટ રમવાનું છોડશે તો તેની જગ્યાએ ટીમમાં
કોને સામેલ કરવા એ પસંદગીકારો સામે મોટી સમસ્યા રહેશે.