• શનિવાર, 20 જૂન, 2026

ભુજના વોર્ડ નં. પાંચમાં આવેલા ચારણવાસના રહેવાસી પાણી, સફાઇ, લાઇટ મુદ્દે બન્યા ત્રસ્ત

ભુજ, તા. 19 : શહેરના વોર્ડ નં. પાંચમાં ચારણવાસ વિસ્તારમાં ગટરમિશ્રિત પાણી વિતરણ, સફાઇનો અભાવ અને રોડલાઇટ ન હોવા મુદ્દે રહેવાસીઓ દ્વારા ભુજ સુધરાઇ ખાતે રજૂઆત કરાઇ હતી. ચારણવાસના રહેવાસીઓ દ્વારા દિગ્વિજયસિંહ જાડેજાની આગેવાની હેઠળ ભુજ સુધરાઇ પ્રમુખ શીતલ શાહને દૂષિત પાણીની બોટલો સાથે કરાયેલી રજૂઆતમાં જણાવાયા મુજબ આ વિસ્તારમાં લાંબા સમયથી દૂષિત પાણીનું વિતરણ કરાતાં રોગચાળાની ભીતિ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત સફાઇનો પણ અભાવ હોવાથી ગંદકીના ગંજ ખડકાયેલા રહે છે અને લાઇટોની સુવિધા ન હોવાથી રહેવાસીઓ પારાવાર પરેશાની ભોગવી રહ્યા હોવાની ફરિયાદ કરી પ્રશ્ન સત્વરે ઉકેલવા માંગ કરાઇ હતી. 

Panchang

dd