નવીદિલ્હી,તા.23 : ભારત દ્વારા ચલાવવામાં આવેલા
ઓપરેશન સિંદૂરમાં જૈશ-એ-મોહમ્મદનાં બહાવલપુર સ્થિત વડામથક મરકઝ સુભાન અલ્લાહને ધ્વસ્ત
કરી નાખવામાં આવ્યું હતું. જો કે નવી બહાર આવેલી તસવીરોમાં ખુલાસો થયો છે કે, છેલ્લા 1પ માસમાં આ આતંકી ઈમારતને પાછી ઉભી કરી
લેવામાં આવી છે. પાકિસ્તાન સરકારે ચડ્ડો ફરી
બનાવવામાં મદદ કરી હતી. ઓપરેશન સિંદૂરમાં આ આતંકવાદી ઠેકાણાને નેસ્તનાબૂદ કરી નાખવામાં
આવ્યું હતું. જો કે હાઈરિઝોલ્યુશન સેટેલાઈટ ઈમેજ અને ગુપ્તચર અહેવાલોમાં જાણકારી સામે
આવી રહી છે કે, પાકિસ્તાનમાં આ ઈમારતનું
ફરીથી બાંધકામ કરી લેવામાં આવ્યું છે. પાકિસ્તાનનાં એન-પ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર પંજાબ
પ્રાંતમાં આશરે 100 કિ.મી. અંદર
બહાવલપુરમાં આ ઈમારત બનેલી છે. જેને મરકઝ સુભાન અલ્લાહ કહેવામાં આવે છે. આ પરિસરની
નવી તસવીરો સામે આવી છે. તેમાં ઝડપથી નિર્માણ થયેલું પણ જોવા મળી રહ્યું છે. ધ્વસ્ત
થયેલી મસ્જિદનાં ગુંબજો ઉપર નવું પ્લાસ્ટર કરવામાં આવેલું છે.