માંડવી, તા. 6 : કોડાય વિસ્તારના મહાવીરનગર ખાતે કષ્ટભંજન હનુમાનજીની ત્રિ-દિવસીય પ્રાણપ્રતિષ્ઠા ઊજવવામાં આવી હતી. આ પ્રસંગે આઇ ગંગામા (કોડાય ખોડલધામ)એ આશીર્વચન આપ્યા હતા. કાર્યક્રમમાં શોભાયાત્રા અને રાત્રિ કાર્યક્રમો સુંદરકાંડ તથા રાસ-ગરબા યોજાયા હતા. આ અવસરે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ આ વિસ્તારમાં હનુમાનજી મંદિર થતાં આનંદ સાથે ભક્તિની વાત કરી હતી. આ વેળાએ મુકેશ જોષી, અમૂલ દેઢિયા, કાનજી પટેલ, વિરલ જોષી, દિનેશ ઠક્કર તેમજ દાતા પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગના મુખ્યદાતા શાંતાબેન પ્રાણજીવન માકાણી (કોડાય પુલ-ગીતા લોજ) તેમજ મંદિરના અન્ય સહયોગી રહ્યા હતા. પ્રાણપ્રતિષ્ઠાના આચાર્ય અક્ષય બાબુભાઇ જોષી, પ્રેમ ભાવેશભાઇ જોષી રહ્યા હતા. ત્રિ-દિવસીય ભોજનના દાતા સુનિલ હરિભાઇ રાજગોર, મમતાબેન સુરેશ જોષી, કનૈયાલાલ પ્રાણજીવન માકાણી, મિતેશ અંબાલાલ મોતા હાજર રહ્યા હતા. સમગ્ર આયોજનમાં મહાવીર નગરના સંચાલક સુરેશ જોષી, ગોવિંદ જોષી, પવનભાઇ તેમજ મહાવીર મંડળના યુવાનોએ આયોજન સંભાળ્યું હતું. સંચાલન અને આભારવિધિ રાઘવદાન ગઢવીએ કરી હતી.