ગાંધીધામ, તા. 11 : ભચાઉ તાલુકાનાં રામપરના ચકચારી
હત્યાના પ્રયાસના કેસમાં આરોપીઓના જામીન ભચાઉ કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા. આ કેસની હકીકત મુજબ ફરિયાદીના મોટા ભાઈ લગધીરભાઈને સમાજના પ્રમુખ
બનાવવા સમાજ ઈચ્છુક હતો, જ્યારે
આરોપી નારણ સવા સંઘારને પ્રમુખ બનવું હતું.
આ બનાવ મામલે આરોપીઓએ ફરિયાદી અને તેના
પરિવારજનોને મારી નાખવા માટે ધારિયા બંદૂક, પિસ્ટલથી ફાયરિંગ
કર્યું હતું અને ફરિયાદીના પરિવારનાં વાહનોમાં નુકસાન પહોંચાડયું હતું. આ કેસમાં પોલીસ
ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 25 આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ પૈકી રામજી સનાભાઈ સંઘાર, રાહુલ હોથીભાઈ છુછિયા, દિનેશ કાનજી સંઘાર, જિગર રામજીભાઈ સંઘાર, સંજય લાખાભાઈ શિણાઈ(મણકા),
રાજેશકુમાર દેશભાઈ સંઘાર, મન અર્જનભાઈ દેશભાઈ
સંઘાર, કરણભાઈ દેસરભાઈ સંઘાર, મનોજકુમાર
જગદીશભાઈ ઉર્ફે જગાભાઈ સંઘાર, દેશરભાઈ રણમલભાઈ ઉર્ફે પપ્પુભાઈ સંઘાર, ખીમજી સવાભાઈ સંઘાર, રમેશભાઈ કાનજીભાઈ સંઘાર, નવજ્યોત ઉર્ફે નવીન
પેથાભાઈ સિયારિયા, અલ્પેશ જગદીશ ઉર્ફે જગાભાઈ સંઘાર, વેરાભાઈ ખીમાભાઈ સંઘાર, લખમણભાઈ સનાભાઈ સંઘાર, નરેન્દ્ર કાનજી સંઘાર, હિરેન નારણભાઈ સંઘાર, મહેશભાઈ વાઘાભાઈ સિયારિયા, વનરાજભાઈ વાઘાભાઈ સિયારિયા, મહેશ ઉર્ફે મયૂરભાઈ રામજીભાઈ સંઘાર, ક્રિષ્ના ઉર્ફે કિશનભાઈ
રાજેશભાઈ સંઘારે જામીન અરજી કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળી કોર્ટે તમામ આરોપીઓને જામીન મુક્ત કરવા હુકમ કર્યો હતો.
આ કેસમાં આરોપીઓ તરફે હિતેન્દ્રસિંહ બી. વાઘેલા, નરેન્દ્રસિંહ બી. જાડેજા, અશ્વિન આર. ઢીલા, વિજયભા પી. ગઢવી, કલ્પેશ એન. વાણિયા અને હરપાલસિંહ કે. જાડેજા હાજર રહ્યા હતા.