• શનિવાર, 27 જુલાઈ, 2024

સો ટકા મતદાન સાથે જંગી બહુમતીથી વિજય અપાવવા લોકોને આહ્વાન

ભુજ, તા. 11 : લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદભાઇ ચાવડાને અંજાર, ગાંધીધામ, આદિપુરમાં પ્રચાર દરમ્યાન લોકસમર્થન સાંપડયું હતું. ઉમેદવાર વિનોદભાઇ ચાવડાએ અંજાર, ગાંધીધામ અને આદિપુર શહેર / તાલુકા ખાતે દેવદર્શન સાથે વિવિધ ગામોમાં બેઠકો યોજી આગામી લોકસભા ચૂંટણીમાં 100 ટકા મતદાન કરાવવાના સંકલ્પ સાથે ચૂંટણી પ્રવાસમાં અંજાર તા.ના લાખાપર, ગાંધીધામ તાલુકાના મીઠીરોહર, આદિપુર શહેર તથા ગાંધીધામ શહેરમાં ભાજપને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું. શ્રી ચાવડાએ ગાંધીધામ શહેર ભાજપ કાર્યાલય ખાતે વિવિધ સમાજ અને પક્ષના આગેવાનો, હોદ્દેદારો અને તેમના સમર્થકોને ખેસ અને ટોપી પહેરાવી હતી. ભગવાન  દરિયાલાલ દેવની 851મી જન્મજયંતીના પાવન પર્વ નિમિત્તે અંજાર લોહાણા મહાજન, ગાંધીધામ લોહાણા મહાજન, ગાંધીધામ સિન્ધી સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રા-રવાડી, ગાંધીધામ લોહાણા મહાજન દ્વારા આયોજિત ભજન સંધ્યા, આદિપુર લોહાણા મહાજન દ્વારા આયોજિત સ્નેહમિલન પ્રસંગે ઉપસ્થિત રહી સમાજના સૌ લોકોને ચેટીચાંદ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને ગાંધીધામ આર્યસમાજ દ્વારા આયોજિત રથયાત્રા પ્રસંગે હાજરી આપી હતી તેમજ આદિપુર ખાતે કચ્છી ગુર્જર લુહાર જ્ઞાતિ મંડળ (વિશ્વકર્મા સમાજ), ખારવા સમાજ સાથે વિવિધ સમાજના આગેવાનો અને સમાજના લોકો તેમજ ભુજ તાલુકાના ધાણેટી ગામે મેઘવંશી ગુર્જર બત્રીસી સમાજના આગેવાનો અને સમાજના લોકો સાથે બેઠક યોજી હતી. ચૂંટણી પ્રવાસ દરમ્યાન જિલ્લા ભાજપા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્યો ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપા મહામંત્રી ધવલભાઈ આચાર્ય, નગર અધ્યક્ષ તેજસભાઈ શેઠ, શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ ઠક્કર, નગરપાલિકાના કાઉન્સીલરો સાથે પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang