• શનિવાર, 27 જુલાઈ, 2024

લાકડિયા પોલીસ મથકના કોન્સ્ટેબલ સતત ગેરહાજર રહેતાં ગુનો નોંધાયો

ગાંધીધામ, તા. 11 : લાકડિયા પોલીસ મથકે સતત ગેરહાજર રહી પોલીસે તેને ફરજ પર હાજર થવા નોટિસો પાઠવી હોવા છતાં હાજર થનાર કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. લાકડિયા પોલીસ મથકના કોન્સ્ટેબલ કૌશલ મહેન્દ્ર ભટ્ટ વિરુદ્ધ પીઆઈ આર.આર. વસાવાએ પોતાના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કોન્સ્ટેબલની અન્ય જિલ્લામાંથી અહીં બદલી થઈ હતી. વર્ષ 2022માં અહીં બદલી બાદ તેને હેડકવાર્ટરમાં મૂકવામાં આવ્યો હતો. કર્મચારીની પાછળથી લાકડિયા પોલીસ મથકે બદલી કરાઈ હતી. પરંતુ સરકારી કર્મચારી પોતાની ફરજ  પર કોઈપણ જાતની જાણ કર્યા વગર ગેરહાજર રહ્યા હતા. કોન્સ્ટેબલને હાજર થવા નોટિસો મોકલવા છતાં મનસ્વી રીતે પોલીસ મથકે હાજર થયા નહોતા. લોકસભાની સામાન્ય ચૂંટણી હોવાથી પોલીસવડાએ અગત્યના સમયે મનસ્વી અને વાજબી કારણ વગર ગેરહાજર રહેનારા તથા ફરજ પ્રત્યે બેદરકાર રહેનારા કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો. પી.આઈ. કર્મચારી કૌશલ ભટ્ટ વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang