ધર્મશાલા, તા. 8 : પઠાણકોટ વિસ્તારમાં પાકિસ્તાનના
સતત હુમલા પછી ધર્મશાલા ખાતે રમાઇ રહેલી પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની
આઇપીએલ મેચ રોકી દેવામાં આવી હતી અને બાદમાં રદ કરાયો હતો. ધર્મશાલા સ્ટેડિયમમાં બ્લેકઆઉટ
કરી દેવામાં આવ્યો હતો. આયોજકોએ શાંતિથી સ્ટેડિયમમાંથી નીકળી જવાની દર્શકોને સૂચના
આપી હતી. જયારે બન્ને ટીમના ખેલાડીઓ અને અધિકારીઓને
સુરક્ષા બંદોબસ્ત સાથે સલમાત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન દર્શકોએ સ્ટેડિયમમાં
જ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. આ દરમિયાન ભારતીય સેનાએ પઠાણકોટ વિસ્તારના
પાકિસ્તાનના તમામ મિસાઇલ હુમલો તોડી પાડયા હતા. આઇપીએલની આ મેચ પ્લેઓફ માટે બન્ને ટીમ
માટે મહત્વની હતી. જે સલમાતી ખાતર રદ કરતાં હતો. આથી બન્ને ટીમને 1-1 પોઇન્ટ
મળ્યા હતા. પંજાબ કિંગ્સના 10.1 ઓવરમાં 1 વિકેટે 122 રન
થયા હતા ત્યારે ફલડ લાઇટમાં ખામી હોવાનું જણાવી મેચ અટકાવી દેવામાં આવ્યો હતો. બાદ
મેચ રદ જાહેર થઈ હતી. પંજાબ તરફથી પ્રિયાંશ આર્ય 34 દડામાં પ ચાગ્ગા-6 છગ્ગાથી
70 રને
આઉટ થયો હતો અને પ્રભસિમરન સિંઘ 28 દડામાં 7 ચોગ્ગાથી પ0 રને
નોટઆઉટ રહ્યો હતો. અગાઉ વરસાદને લીધે મેચ એક કલાક મોડો શરૂ થયો હતો.