• બુધવાર, 21 મે, 2025

ગુજરાત સામે હારથી મુંબઇ પર પ્લેઓફની બહાર થવાનો ખતરો

મુંબઇ, તા. 7 : તીવ્ર રસાકસી બાદ છેલ્લા દડે ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધની હારથી પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઇ ઈન્ડિયન્સના પ્લેઓફ સમીકરણ બગડી ગયા છે. એમઆઇના ખાતામાં હવે 12 મેચમાં 14 પોઇન્ટ છે અને ચોથા સ્થાને છે. મુંબઇની હવે બે મેચ બાકી છે. જે પંજાબ અને દિલ્હી સામે છે. આ બે મેચમાંથી એકમાં પણ હાર મળશે તો મુંબઇ ઇન્ડિયન્સ લગભગ બહાર થઇ જશે. મુંબઇ ઇન્ડિયન્સની નીચે પોઇન્ટ ટેબલ પર દિલ્હી, કોલકાતા અને લખનઉની ટીમ છે અને તે પણ પ્લેઓફની રેસમાં સામેલ છે. દિલ્હી વધુમાં વધુ 19, કોલકાતા 17 અને લખનઉ 16 અંક સુધી પહોંચી શકે છે.  મુંબઇ જો બાકી બે મેચમાંથી એકમાં પણ હારશે તો તેની ગાડી 16 પોઇન્ટ પર અટકી જશે. આ સ્થિતિમાં દિલ્હી અને કોલકાતા પાસે આગળ નીકળવાનો મોકો બની રહેશે. જ્યારે લખનઉ બરાબરી કરી શકે છે. જો કે મુંબઇને લખનઉથી ડર નથી.  કારણ કે તેની નેટ રનરેટ ઘણી નબળી છે. મુંબઇની છેલ્લી બે મેચ ધર્મશાલા અને હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ પર રમાશે. જો એક મેચ વરસાદમાં ધોવાશે તો હાર્દિકની ટીમ વધુમાં વધુ 17 અંક પર અટકી જશે અને સાથે એક હાર મળશે તો 1પ અંક સાથે તેની દોડ ખતમ થશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd