• શુક્રવાર, 28 માર્ચ, 2025

આઈસીસી સ્કવોર્ડમાં રોહિત જ બહાર !

દુબઈ, તા.10 : ટીમ ઈન્ડિયાના ઐતિહાસિક વિજયના બીજા જ દિવસે સોમવારે પોતાની 12 સભ્યની સ્ક્વોર્ડનું એલાન કરનાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ આશ્ચર્યજનક ફેંસલારૂપે `ચેમ્પિયન' ટીમના સુકાની રોહિત શર્માને જ સ્ક્વોર્ડમાં સ્થાન આપ્યું નથી.

સાથોસાથ ચેમ્પીયન્સ ટ્રોફીની યજમાન ટીમ પાકિસ્તાનમાંથી પણ કોઈ જ ખેલાડીને આ સ્કવોર્ડમાં સામેલ કરાયો નથી.

ટુર્નામેન્ટમાં ભાગ લેનાર આઠમાંથી માત્ર ત્રણ ટીમોના ખેલાડીઓને જ 12 સભ્યોની સ્કવોર્ડમાં સ્થાન અપાયું છે.

ટીમ ઈન્ડિયામાંથી વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ.રાહુલ, મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી અને અક્ષર પટેલને સામેલ કરાયા છે.

એ સિવાય ઉપવિજેતા ન્યૂઝીલેન્ડના રીચન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેંટનર અને મેટ હેનરીને આઈસીસીની સ્ક્વોર્ડમાં સ્થાન અપાયું છે.

ખાસ જાણવા જેવી વાત છે કે, આઈસીસીની આ સ્કવોર્ડના સુકાની તરીકે સેંટનરની પસંદગી કરાઈ છે. અફઘાનીસ્તાનના ઈબ્રાહિમ.... અને અજમતુલ્લાહ ઉમર... જગ્યા મળી છે.

યજમાન પાકિસ્તાન સિવાય દક્ષીણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડના કોઈ પણ ખેલાડીને સ્થાન અપાયું નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Mukhya Samachar

ગામડાઓમાં થતાં દબાણને લીધે સ્થાનિક ગ્રામજનો પરેશાન March 28, Fri, 2025
dd