• બુધવાર, 21 મે, 2025

માધાપર નવાવાસ-કેસરબાગને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત

માધાપર, તા. 9 : નવાવાસના કેસરબાગ રોડ પરની કોળી સમાજવાડીથી મહાદેવ હિલ્સ અને કોટક સોસાયટી વિસ્તારને 5.20 કિલોમીટરનો રોડ બનાવવા માટે વર્તમાન સરકાર દ્વારા રૂપિયા 275 લાખ ફાળવવામાં આવ્યા છે, જેનું ખાતમુહૂર્ત કરાયું હતું.  આ અવસરે ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું કે, લોકોના પ્રશ્નોને વાચા આપવા ગામના અગ્રણીઓ દ્વારા થતા સૂચન મુજબ કામો પૂર્ણ કરવા કટિબદ્ધ હોવાનું કહ્યું હતું. જિ.પં. પ્રમુખ શ્રી જાડેજાએ જણાવ્યું કે, વિકાસના કામમાં ગુણવત્તા જળવાય તે માટે લોકોને જાગૃત રહેવા સૂચન કર્યું હતું.   તા. પં. પ્રમુખ વિનોદભાઈ વરસાણીએ જણાવ્યું કે, માધાપર એ ભુજના પરાં સમાન ગામ છે ત્યારે તેનો સતત વિકાસ જરૂરી છે. આ વિકાસ માટે અગ્રણીઓ પણ સતત જાગૃતિ દાખવી રહ્યા છે. આ અવસરે ભુજ તાલુકા સંગઠનના નવનિયુકત હોદ્દેદારોનું અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું હતું. સ્વાગત પ્રવચન જિલ્લા ભાજપ ઉ.પ્ર. જયંતભાઈ માધાપરિયાએ કર્યું હતું. ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઇ જોધાણી, બક્ષીપંચ મોરચા પ્રમુખ માવજીભાઇ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રવીણાબેન રાઠોડ, પૂર્વ સરપંચ અરજણભાઇ ભુડિયા, તા.પં. સદસ્ય લક્ષ્મીબેન જરૂ, ભાનુબેન ભુડિયા, તાલુકા ઉપપ્રમુખ વિનોદ પિંડોળિયા, પલ્લવીબેન ઉપાધ્યાય, નારણભાઇ મહેશ્વરી, લગધીરસિંહ જાડેજા (તલાટી), રમેશ આહીર, ભરતભાઇ આહીર, હરીશભાઇ પિંડોળિયા, પ્રવીણભાઇ ખોખાણી, ગિરિરાજસિંહ હેમુદાન કેસરિયા ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન જિ.પં. પૂર્વ પ્રમુખ પારુલબેન કારા, વાલજીભાઈ આહીરે તથા અભારાવિધિ ભુજ તાલુકા ભાજપ મહામંત્રી દિનેશ ઠક્કરે કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd