• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

-તો ટ્રમ્પના કાર્યકાળના અંત સુધી રાહ જોશું

નવી દિલ્હી, તા. 4 : ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ભારત-અમેરિકા વેપાર કરારમાં પોતાની જીતનો દાવો કરી રહ્યા હોય, પરંતુ એક નવા અહેવાલે પરિસ્થિતિ પલટાવી દીધી છે. બ્લૂમબર્ગના મતે, ભારતે વાશિંગ્ટનને સ્પષ્ટ કહી દીધું હતું કે તે દબાણ સામે ઝૂકવાને બદલે ટ્રમ્પના કાર્યકાળના અંત સુધી રાહ જોવા તૈયાર છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે ટ્રમ્પની હઠીલાપણાની સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને કહી દીધું હતું કે, જો વેપાર કરાર ન થાય તો તે ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી રાહ જોશે.  અહેવાલમાં જણાવાયું છે કે સપ્ટેમ્બર 2025  ની શરૂઆતમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને યુએસ વિદેશમંત્રી માર્કો રૂબિયો વચ્ચેની ખાનગી બેઠક દરમિયાન ભારતે કડક વલણ અપનાવ્યું હતું. ડોભાલે રૂબિયોને સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારત ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સાથીઓની ધમકીઓથી ડરશે નહીં અને જો તણાવ ઓછો ન થાય તો તે 2029 સુધી વેપાર કરાર માટે રાહ જોઈ શકે છે. અહેવાલ મુજબ, આ બેઠક એવા સમયે થઈ હતી જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્ર સતત મોદી સરકાર પર હુમલો કરી રહ્યું હતું અને ભારતીય નિકાસ પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો, જે તે સમયે સૌથી વધુ ટેરિફ હતો. બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો. અજિત ડોભાલે માર્કો રુબિયોને યાદ અપાવ્યું કે ભારતે ભૂતકાળમાં ઘણા પ્રતિકૂળ યુએસ વહીવટનો સામનો કર્યો છે. તેમણે માંગ કરી હતી કે ટ્રમ્પ અને તેમના અધિકારીઓ જાહેરમાં ભારતની ટીકા કરવાનું બંધ કરે જેથી સંબંધો પુન:સ્થાપિત થઈ શકે.  ડોભાલે સ્પષ્ટતા કરી કે ભારત કોઈપણ પ્રકારની `ગુંડાગીરી' સહન કરશે નહીં. આ બેઠક પછી જ સપ્ટેમ્બરના અંતમાં ટ્રમ્પનો સ્વર નરમ પડ્યો હતો અને તેમણે વડા પ્રધાન મોદીને તેમના જન્મદિવસ પર અભિનંદન આપવા માટે ફોન કર્યો. હતો.  

Panchang

dd