• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

મુંબઈ હવાઈમથકે ઘાત ગઈ...

મુંબઈ, તા. 3 : મુંબઈનાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બનતાં ટળી ગઈ હતી, જેમાં બે વિમાનની પાંખો અથડાઈ ગઈ હતી. એર ઈન્ડિયાનું એક વિમાન રન-વે પરથી ટેકઓફ પહેલાં પુશબેકની પ્રક્રિયામાં હતું, જ્યારે લેન્ડિંગ પછી ટેક્સી કરતી ઈન્ડિગોની એક ફ્લાઈટ તેની એકદમ નજીક આવી જતાં પાંખો અથડાઈ ગઈ. આ ઘટના બાદ, સલામતીના કારણોસર બંને વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યાં છે. કોઈ મુસાફરોને ઈજા થઈ નથી. આ મામલાની તપાસ ચાલી રહી છે. અકસ્માતને કારણે એરપોર્ટની કામગીરી પર અસ્થાયી અસર પડી હતી. અહેવાલો અનુસાર, એર ઈન્ડિયાની ફ્લાઈટ મુંબઈથી કોઈમ્બતૂર જવા માટે ટેકઓફ માટે પુશબેકની પ્રક્રિયામાં હતી. તે જ સમયે, એક ઈન્ડિગો અ-320 લેન્ડિંગ પછી ટેક્સી-વે સાથે જોડાઈ રહી હતી. એ દરમ્યાન બંને વિમાનની જમણી પાંખો અથડાઈ ગઈ. ઘટના બની, ત્યારે બંને વિમાનમાં પ્રવાસીઓ હતા જો કે, કોઈને ઈજા પહોંચી નથી. ઘટનાની જાણ થતાં ડીજીસીએનાં મુંબઈ કાર્યાલયના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 

Panchang

dd