નવી દિલ્હી, તા. 10 : યુદ્ધવિરામ
માટે સહમતી સાધ્યા બાદ ગોળીબાર સહિતની વિશ્વાસઘાતી પાકિસ્તાની સેનાની છીછરી હરકત પર
પત્રકાર પરિષદ સંબોધતાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, ભારતની સેનાએ જડબાંતોડ જવાબ આપ્યો છે. વિદેશ સચિવે શનિવારની રાત્રે 11 વાગ્યે
પત્રકારોને સંબોધનમાં કહ્યું હતું કે, યુદ્ધવિરામના
ભંગ માટે પાકિસ્તાન જવાબદાર છે. આ હરકત અત્યંત આલોચનાપાત્ર છે અને ભારતીય દળોને યુદ્ધવિરામ
ભંગના કોઈ પણ કૃત્યનો અત્યંત કડક જવાબ આપવાના આદેશ કરાયા છે. સશત્ર દળો તમામ પરિસ્થિતિ
પર બાજ નજર રાખી રહ્યા છે. પાકિસ્તાન જવાબદાર અને ગંભીર બને.