ભુજ, તા. 2 : ગત
વર્ષે અબડાસાના ડુમરા ખાતે 27 વર્ષીય
યુવાન ઇરફાન મામદ સુમરા ઉપર પાઇપથી હુમલો કરી તેની હત્યા નીપજાવવાના ગુનામાં આરોપીના
જામીન નામંજૂર થયા છે. આ હત્યા કેસના આરોપી યુવરાજસિંહ ઉર્ફે ઇલુ નરેન્દ્રસિંહ નટુભા
જાડેજાએ નિયમિત જામીન અરજી મળવા અરજી ભુજના સાતમા અધિક સેશન્સ કોર્ટના જજ એન. પી. રાડિયાએ
જામીન અરજી રદ્દ કરી હતી. આ કેસમાં સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરી તથા મૂળ ફરિયાદ તરફે
ધારાશાત્રી જિજ્ઞેશ એચ. બારોટ હાજર રહી જામીન અંગે વાંધા લીધા હતા.