ગાંધીધામ, તા. 11 : ગાંધીધામના કાર્ગો આઝાદનગર
ઝૂંપડાં વિસ્તારમાં આવેલા એક વાડામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. આ વાડામાંથી રૂા. 75,000ની ત્રણ ટન નકામી (વેસ્ટેજ)
ખાંડનો જથ્થો મળ્યો હતો જેના આધાર-પુરાવા રજૂ ન કરી શકતાં જથ્થો સંગ્રહ કરનારા સંજય
ઉર્ફે ટાઇગર ગણપત દેવીપૂજક નામના શખ્સને ઝડપી લેવાયો હતો. ખાંડનો આ જથ્થો ક્યાંથી આવ્યો
હતો ? અને કોને વેચવામાં આવતો હતો ? તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.