ગાંધીધામ, તા. 18 : અંજારના રામદેવ નગરમાં રહેનાર
નેહલ રમેશ કોળી (ઉ.વ. 18) નામની યુવતીએ
પાડોશીના પતરાના મકાનમાં જઇ ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. બીજી બાજુ કિડાણામાં
મિતુલ ધનજી પટેલ (ઉ.વ. 35) નામનો યુવાન
મૃત મળી આવ્યો હતો. અંજારના રામદેવ નગર વિસ્તારમાં ગઇકાલે સાંજે આપઘાતનો આ બનાવ બન્યો
હતો. અહીં રહેનાર નેહલ કોળી નામની યુવતીએ પાડોશમાં આવેલા પતરાના મકાનમાં જઇ પતરાના
શેડમાં એંગલમાં દુપટ્ટો બાંધી અકળ કારણોસર ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. આ યુવતીએ
કેવા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે, તેની આગળની વધુ તપાસ પોલીસે હાધ ધરી છે. બીજી બાજુ કિડાણામાં રહેનાર મિતુલ
પટેલ નામના યુવાનનું મોત થયું હતું. અહીં સોમૈયા સોસાયટી પાસે રોડ પર આ યુવાન મળી આવ્યો
હતો, તેને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે
તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસ દરમ્યાન તેનું કુદરતી મોત હોવાનું બહાર આવ્યું
છે, તેમ છતાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.