• સોમવાર, 16 જૂન, 2025

અવસાન નોંધ

ભુજ : મંજુલાબેન (ઉ.વ. 77) તે ભીમજી માધવજી સોલંકી (ખેડબ્રહ્મા)ના પત્ની, સોલંકી માધવજી દેવશી (ખેડબ્રહ્મા)ના પુત્રવધૂ, અરૂણ, સરોજ, જ્યોતિના માતા, સ્વ. અમૃતબેન દેવજી કેશવજી બુદ્ધભટ્ટી (ભુજ)ના પુત્રી, સ્વ. શંભુભાઇ, સ્વ. નિર્મળાબેન જયંતીલાલ કોટડિયા (આદિપુર), કનકભાઇ, કાંતિભાઇ (ભુજ)ના બહેન, સ્વ. ઉર્મિલાબેન શંભુલાલ, જયશ્રીબેન કનકભાઇ, કલ્પનાબેન કાંતિલાલના નણંદ, કિરણ (માધાપર), મેહુલ (શ્રીજી રેડીયેટર સેલ્સ સર્વિસ-માધાપર), સ્મિત (શ્રી સહજાનંદ મોટર્સ-માધાપર), રાજેશકુમાર સોની (કોડાય)ના ફઇ તા. 30-5-2025ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : મંજુલાબેન છગનલાલ જેવત ઠક્કર (ઉ.વ. 70) તે સ્વ. માણેકબેન છગનલાલ ઠક્કરના પુત્રી, ગં.સ્વ. ઉષાબેન નારાણભાઇ રાચ્છ, વસંતબેન તન્ના, પૂર્ણિમાબેન લલિતભાઇ કોટક, અશોકભાઇ ઠક્કર (જી.ઇ.બી.), હરીશભાઇ ઠક્કર (ભૂતનાથ)ના બહેન, ધનગૌરીબેન અને ક્રિષ્નાબેન (આઇ.ઓ.બી.)ના નણંદ, હિરલ ઠક્કર, ગં.સ્વ. રૂપાબેન અલ્પેશભાઇ ઠક્કર, ડો. હર્ષ ઠક્કર, ડો. ધ્રુવા ઠક્કરના ફઇ, તેજલ દિનેશ તન્નાના માસી, સીમા નીરજ રાચ્છ, જલ્પા જિજ્ઞય કોટકના માસીજી તા. 1-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-6-2025ના મંગળવારે સાંજે 5.30થી 6.30 શેઠ નાનજી સુંદરજી સેજપાલ નવી લોહાણા મહાજનવાડી (રૂખાણા હોલ), વી. ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : જગદીશ મગનલાલ સૌસી (સલાટ) (ઉ.વ. 61) તે પ્રભાબેન મગનલાલના પુત્ર, ચંદ્રિકાબેનના પતિ, પરેશના પિતા, રેખાબેન શાંતિલાલ સાપરિયા (ધ્રાંગધ્રા)ના જમાઇ, સ્વ. દિનેશ, સ્વ. પ્રકાશ, અશોકના બનેવી, ચમનલાલ, સ્વ. પ્રકાશભાઇના ભાઇ, નવલબેનના દિયર, કોમલના સસરા, જાનવી, દેવેનના કાકાજી સસરા, કલ્પેશ, વૈશાલી (જામનગર)ના કાકા, ક્રિશિવ, દિશા, સ્નેહાના દાદા તા. 1-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-6-2025ના મંગળવારે સાંજે 5.30થી 6.30 દાંડીવાળા હનુમાનજી મંદિરની બાજુમાં, સલાટ સમાજવાડી, ભુજ ખાતે.

આદિપુર : મૂળ મોટી સિંધોડીના ગઢવી વાલબાઈ મુરજી (ભુવા) (ઉ.વ. 85)  તે નારણ, લક્ષ્મણ, ખેરાજ, સોનબાઈ દેવરાજભાઈ વારિયાના માતા, ગોવિંદ, દેવરાજ, કિશોર, શ્યામના દાદી, ગોપાલ, રામ, રતનની નાની તા. 1-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસ સ્થાને, ઉત્તરક્રિયા (પાણી) તા. 12-6-2025ના ગુરુવારે સવારે 11 વાગ્યે નિવાસસ્થાન, મકાન નં. 116/117, વોર્ડ 1/, મણિનગર, આદિપુર ખાતે.

આદિપુર : અલ્પેશભાઇ ઘનશ્યામભાઇ આચાર્ય (ઉ.વ. 46) તે રાખીબેનના પતિ, સ્પર્શના પિતા, નલિનીબેન ઘનશ્યામભાઇના મોટા પુત્ર, જિજ્ઞેશના ભાઇ, અબોટી દિનેશ ચૂનીલાલ (કોઠારા)ના જમાઇ, ભરતભાઇ તથા ચિરાગભાઇના બનેવી તા. 28-5-2025ના કતાર ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-6-2025ના સોમવારે સાંજે 5થી 6 ઓમ મંદિર, વોર્ડ નં. 3-બી, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે, આદિપુર ખાતે.

આદિપુર : મૂળ મનફરા (તા. ભચાઉ)ના ઠા. જયંતીલાલ રામાણી (ઉ.વ. 78) તે સ્વ. મટુબેન, સ્વ. લવજીભાઇ પચાણભાઇ રામાણીના પુત્ર, કલાવંતીબેનના પતિ, સ્વ. નર્મદાબેન કરશનદાસ હીરજી ચંદેના જમાઇ, અનીષભાઇ, ફાલ્ગુનભાઇ, રીમાબેન રિતેશભાઇ માણેક, નિપાબેન જયેશભાઇ રૈયાના પિતા, રાખીબેન, હિનાબેન, રિતેશભાઇ માણેક, જયેશભાઇ રૈયાના સસરા, નટવરલાલ, વિજયાબેન, ચંપાબેન, રેખાબેનના કાકા, પિનાક, ખુશાલીના દાદા, શ્રેયા, રાજના નાના, સ્વ. વિશનજીભાઇ, જેઠાલાલ, દમયંતીબેન ગિરધરભાઇ રાણાના ભાઇ, સ્વ. ગંગાબેન, ચંપાબેનના જેઠ, હાર્દિક, પૂજાના મોટાબાપા, સ્વ. ભરતભાઇ, સ્વ. પંકજભાઇ, વિનોદભાઇ, હંસાબેન નવીનભાઇ ઉદવાણી, ભગવતીબેન જેન્તીલાલ મજીઠિયાના બનેવી, પોપટલાલ લવજી (છાડવારા)ના દોહિત્ર તા. 31-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-6- 2025ના સોમવારે સાંજે 5થી 6 મૈત્રી સ્કૂલ ડોમ, મૈત્રી રોડ, આદિપુર ખાતે. (દશો રાખેલ નથી.)

અંજાર : શાંતિલાલ મનજી કાતરિયા (ઉ.વ. 63) તે સ્વ. મનજીભાઇ સુરાભાઇ તથા લક્ષ્મીબેનના પુત્ર, પ્રેમાબેનના પતિ, મૂળજીભાઇના ભાઇ, રેખાબેન, આશાબેન, ધર્માબેન, નીલેશભાઇ, હિતેષભાઇના પિતા, સ્વ. શાંતિલાલ, અરવિંદભાઇ, ચેતનભાઇના સસરા, શ્રદ્ધાબેન, મંત્રભાઇના દાદા, મનાલી, અંજલિ, આરતી, પૂજા, ક્રિષ્ના, દર્શન, રિયા, મનનના નાના તા. 31-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-6-2025ના સોમવારે સાંજે 5થી 6 યદુવંશી સોરઠિયા સમાજવાડી, ક્રિષ્નાવાડી, વોરાસર સોસયટીની બાજુમાં અંજાર ખાતે.

માંડવી : મૂળ ગંગોણના મહિપતાસિંહ ચાવડા (ઉ.વ. 60) તે સ્વ. લાખયારજી વાઘજીના પુત્ર, સ્વ. મોહબતાસિંહ, ગુલાબાસિંહ, જયાસિંહના ભાઈ, રણજિતાસિંહના કાકા, હાર્દિકાસિંહના મોટાબાપુ તા. 31-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-6-2025ના સાંજે 5થી 6 નિવાસસ્થાને રંગચુલીની પાછળ, માંડવી ખાતે.

સુખપર (તા. ભુજ) : લક્ષ્મીબેન હીરજી હંસોરા (લોહાર) તે સ્વ. હીરજી ગોપાલજીના પત્ની, ચંદુલાલના માતા, સ્વ. દમયંતીબેનના સાસુ, નીલમ, રશ્મિન (વિશ્વ ચામુંડા મોટર ગેરેજ), મીતા (ટીના)ના દાદી, સ્વ. મીઠુભાઇ ગોપાલજી હંસોરાના નાના ભાઇના પત્ની, સ્વ. રામજીભાઇ, સ્વ. કેશવજીભાઇના ભાભી, સ્વ. પાર્વતીબેનના દેરાણી, સ્વ. રતનબેન, કાન્તાબેનના જેઠાણી, સ્વ. શામજીભાઇ, પરમાનંદભાઇ (નંદુભાઇ), જેન્તીભાઇ, દેવકરણભાઇ, સ્વ. બબીબેન રમણીકલાલ ઉમરાણિયા, લીલાવંતીબેન મણિલાલ ઉમરાણિયાના કાકી, મંજુબેન શિવલાલ પરમાર, દમયંતીબેન જેન્તીલાલ વાઘેલા, સ્વ. મંગળાબેન પ્રતાપ આસોડિયા, અનસૂયાબેન મુકેશ વાઘેલા, સ્વ. દિલીપભાઇ, સ્વ. કિશોરભાઇ, સ્વ. જિતેશભાઇ, પ્રતાપભાઇ, અનિલભાઇ, ભરતભાઇના મોટાબા, વિશાલ બી. મકવાણા (સુખપર), વિશાલ સી. દાવડા (મુંબઇ), આશા રશ્મિન હંસોરાના દાદીસાસુ, જ્યોતિ, હીરલ, વિધિ, પુનિત, નીલેશ, નીપેનના મોટાદાદીદેવકરણ ભવાનજી પિત્રોડા (દેશલપર-ગું.)ના પુત્રી તા. 1-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-6-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 મેવાડા સુથાર સમાજવાડી, સુખપર ખાતે.

નાગોર (તા. ભુજ) : રૂડીબેન રામજીભાઇ ચૌહાણ (ઉ.વ. 90) તે સ્વ. રામજી લધા ચૌહાણના પત્ની, સ્વ. ભાણીબેન, સ્વ. કાશીબેન, સ્વ. વેલીબેન, ગં.સ્વ. મણિબેન, સ્વ. મનજીભાઇ, સ્વ. મેઘજીભાઇ, નારણભાઇના ભાભી, ધીરુભાઇ, પ્રભુભાઇ, પંકજભાઇ, ઉષાબેન, સ્વ. ભાનુબેન, વસુબેન, કોકીબેન, જ્યોતિબેન, ચંદ્રિકાબેન, ભારતીબેનના માતા, સ્વ. માંડણ રતના રાઠોડ (માધાપર)ના પુત્રી, સ્વ. નારણભાઇ, સ્વ. હરિભાઇ, મૂરજીભાઇ, સ્વ. વેલુબેન, અનુબેનના મોટા બહેન, કિરણબેન, વસંતબેન, પાર્વતીબેન, સ્વ. મોહનભાઇ, સ્વ. અનિલભાઇ, દામજીભાઇ, ચંદ્રકાન્તભાઇ, ધીરેનભાઇના સાસુ, વિરલ, રિચા, અરવિંદ, પૂજા, હેમાંગી, સંદિપ, કશ્યપના દાદી, અરયના પરદાદી, મમતા, જિગર, ભક્તિ, મિરલ, મયુરી, પુનિત, આરતી, તૃપ્તિ, આશિષ, વ્યોમ, હેત, જાનવીના નાની, ભાવેશ, પ્રશાંત, રિદ્ધિ, આનંદ, શિલ્પી, દર્શનના ફઇ તા. 1-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-6-2025ના સોમવારે સાંજે 5થી 6 મિત્રી સમાજવાડી, નાગોર ખાતે.

લાખોંદ (તા. ભુજ) : માંજોઠી હુશેન આમદ (ઉ.વ. 58) તે ઇકબાલ અને અસલમના પિતા તા. 1-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-6-2025ના સવારે 10થી 11 મસ્જિદ પ્રાંગણ, લાખોંદ ખાતે.

અંતરજાળ (તા. ગાંધીધામ) : મૂળ ડેરવાળા (લખતર)ના રાણા અમરબા અનોપસિંહ (વેલુભા) (ઉ.વ. 92) તે સ્વ. રાણા અનોપસિંહ (વેલુભા) ઉદેસિંહના પત્ની, સુશીલાબા, રણજિતસિંહ, હસમુખસિંહ, કપિલસિંહ, દુર્ગાબાના માતા, સોનુબા, ઉપેન્દ્રસિંહ, સુરેન્દ્રસિંહ, યોગીરાજસિંહ, ગાયત્રીબા, મહિપાલસિંહ, અર્ચનાબાના દાદી તા. 1-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-6-2025ના ગુરુવારે સાંજે 5.30થી 6.30 ચામુંડા માતાજી મંદિર, પીપળીની બાજુમાં, અંતરજાળ ખાતે.

મુરૂ (તા. નખત્રાણા) : મહેશ્વરી બુધાભાઇ વેલાભાઇ જોલા (ઉ.વ. 90) તે લાખાભાઇ, નાયાભાઇ, વેરસીના ભાઇ, રાણાભાઇ, હીરાભાઇ, કેશાભાઇ, તેજબાઇ લખુભાઇ સીજુ (નિરોણા), નાનબાઇ આતુભાઇ સીજુ (નિરોણા), દેવલબાઇ શંકરભાઇ જંજક (ઉસ્તિયા), ગોરબાઇ હમીરભાઇ સૂર્યા (સુમરાસર-શેખ), મુલબાઇ મનજીભાઇ ધેડા (કુરબઇ)ના પિતા, સ્વ. થાવરભાઇ બુધાભાઇ ફમા (વમોટી)ના જમાઇ, સામજીભાઇના બનેવી, લખુભાઇ થાવર સીજુ (નિરોણા), આતુભાઇ થાવર સીજુ (નિરોણા), સ્વ. હમીરભાઇ વાલાભાઇ સૂર્યા (સુમરાસર-શેખ), સ્વ. શંકરભાઇ દેવશી જંજક (ઉસ્તિયા), ધેડા મનજી થાવર (કુરબઇ)ના સસરા, કાંતિ, નીતિન, હંસા, ભાવિક, દેવ્યાંશી, જાગૃતિના દાદા તા. 31-5-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 3-6-2025ના મંગળવારે રાત્રે આગરી તેમજ તા. 4-6-2025ના બુધવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન મુરૂ ખાતે.

નલિયા (તા. અબડાસા) : પાલીવાલ બ્રાહ્મણ રંજનબેન કલાનિધિ જોષી (ઉ.વ. 63) (પી.એચ.સી. તેરા નિવૃત્ત ફિમેલ હેલ્થ સુપરવાઇઝર) તે સ્વ. ભાનુબેન મણિશંકર જોષીના પુત્રવધૂ, સ્વ. જશવંતીબેન, સ્વ. રસીલાબેન, સ્વ. કસ્તૂરીબેન, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. પ્રદીપભાઇ, નિરંજનભાઇ, વિજયાબેન વસંતભાઇ ગોર (ભુજ)ના ભાભી, પ્રફુલ્લાબેનના જેઠાણી, રોશની તથા મયંકના માતા, મેહુલ અને પૂનમના સાસુ, હેમાન્દ્રી અને શાશ્વતના નાની, પ્રતીક અને કોમલના મોટામા, રિન્કુ, મીરા, વિવેકના મામી, જિજ્ઞેશ, મૌલિકકુમાર, ઐશ્વર્યાના મામીસાસુ, સ્વ. કપિલાબેન રતિલાલ વ્યાસ (મુખ્યાજી)ના પુત્રી, સ્વ. મધુસૂદનભાઇ, સ્વ. જશવંતભાઇ, સ્વ. શોભના, ભાવનાબેન, સાધનાબેન, રટનાબેન, ચેતનાબેનના બહેન, યામિની, પ્રિયંકા, રવિ, આનંદ, હિરલના ફઇ તા. 1-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા સાસરા અને પીયરપક્ષની તા. 3-6-2025ના મંગળવારે સાંજે 4.30થી 5.30 માહેશ્વરી સમાજવાડી, દરજી ફળિયા, નલિયા ખાતે.

સામખિયાળી (તા. ભચાઉ) : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ  પ્રસન્નબેન ભટ્ટ (ઉ.વ. 86)  તે સ્વ. વ્રજલાલ પ્રભાશંકર (ભચાઉ ઝપાટાવાળા)ના પત્ની, સ્વ. શાંતિલાલભાઈના ભાભી, સ્વ. માધુભાઈ, સ્વ. વિપિનભાઈ, નીતિનભાઈ, વર્ષાબેનના માતા, મીનાક્ષીબેન ભટ્ટ, હર્ષદ, અશોક, દિનેશના કાકી, સ્વ. રીંકલ, સ્વ. પ્રતીક, ખુશ્બૂ કુલદીપ ઉપાધ્યાય, ભાવિક, ભક્તિ દેવેનકુમાર રાજગોર, કૃપાલી ભાવેશકુમાર ભટ્ટ, ભવદીપના દાદી, રમેશભાઈ (રાજકોટ)ના સાસુ, સ્વ. વજેશંકર બાલકૃષ્ણ ત્રવાડી (ખેડોઈ)ના પુત્રી, સ્વ. હેમલતાબેન યશવંતરાય ભટ્ટના બહેન, દર્શન ડો. અમિતકુમાર ત્રિપાઠી, અભિલાષ, વિરલ, ભવ્યના માસી તા. 1-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-6-2025ના મંગળવારે સાંજે પથી 6 નિવાસસ્થાન, ઓમ બંગલો, જંગી રોડ, સામખિયાળી ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd